Dashera Havan 2017

આસો નવરાત્રી કાર્યક્રમ

આત્મિય ભાઈશ્રી/બહેનશ્રી,

આધોઈ મંદીર ખાતે માતાજીના નવરાત્રી ઊત્સવનો કાર્યક્રમ નીચે મુજબ છે.

 

ઘટસ્થાપના                :    ભાદરવા વદ – ૩૦ તા : ૨૦/૯/૨૦૧૭ બુધવાર, બપોરે ૧૨ – ૩૦ કલાકે.

અષ્ટમી પૂર્ણાહૂતી        :    આસો સૂદ ૮ ગુરુવાર, તા : ૨૮/૦૯/૨૦૧૭ બપોરે ૧૨ – ૩૦ કલાકે.

નવરાત્રી હવન            :    વિજયા દશમી, શનિવાર તા : ૩૦-૦૯-૨૦૧૭.

                                                     પ્રારંભ : સવારે ૮-૩૦ કલાક થી શ્રીફળ હોમ : બપોરે ૧૨ – ૩૦ કલાકે.

 

આ વખતે હવનના મુખ્ય યજમાન પદે આદિપુર કચ્છના શ્રી ધીરજલાલ મેઘજીભાઈ મીરાણી તેમના પરિવારજનો સાથે બીરાજશે.

નોંધ :

  • નવરાત્રી દરમ્યાન આધોઈ મંદિર ખાતે રહીને આરાધના કરવા ઈચ્છતા પરિવારજનોએ ધીરુમહારાજનો ફોન નંબર ૯૯૨૫૦ ૯૪૧૧૦ પર સંપર્ક કરીને જાણ કરવા વિનંતી જેથી તેમની રહેવાની તથા મહાપ્રસાદની યોગ્ય વ્યવસ્થા કરી શકાય.
  • કારતક સુદ – ૮ શનીવાર તા . ૨૮-૧૦-૨૦૧૭ બપોરે આધોઈ મંદિર ખાતે માતાજીને  છપ્પનભોગ મહેસાણાના શ્રી પ્રવિણભાઈ શીવરામભાઈ મીરાણી પરિવાર તરફથી ધરાવવામાં આવશે.
  • હર વર્ષની જેમ મુખ્ય યજમાન તથા ધજા આરોહણની કુપનનો ડ્રો પોષ સુદ – ૮ મંગળવાર તા – ૨૬/૧૨/૨૦૧૭ ની મીટીંગમાં કરાશે તો આપના પ્રવાસનુ આયોજન તે મુજબ કરવા વિનંતી.

 

સર્વ ભાઈ – બહેનોને આ બધા ઉત્સવોમાં સામેલ થવા નમ્ર વિનંતી.

 

આ પરિપત્ર આપણે મર્યાદિત સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ તથા હરેક ગામમાં રહેતા બે-ત્રણ પરિવારજનોને મોકલીએ છીએ, તો પરિપત્ર મેળવનાર પરિવારજનોને નમ્ર વિનંતી કે આપના સંપર્કમાં હોય તેવા સર્વ મીરાણી ભાઈ-બહેનોને આ કાર્યક્રમોની વિગતવાર જાણ કરીને આયોજકોને સાથ સહકાર આપશો.

 

લી.

શ્રી મીરાણી કુળદેવી બુટભવાની ચેરીટેબલ ટ્ર્સ્ટ રચીત સમિતિ વતી,

ભરતભાઇ ડી. મીરાણી – રોહિતભાઈ આર. મીરાણી

માનદ મંત્રીઓના જય માતાજી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *